દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને 'બંધારણ' કહે છે.
બંધારણ ચોક્કસ સિદ્વાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવવામાં આવે છે. બંધારણ લેખિત કે અલેખિત સ્વરૂપનું હોય છે. તે પ્રજા દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ.
બ6ધારણથી અનેક ઉદેશો સિદ્વ થાય છે. બંધારણ એ આદર્શોને સૂત્રબદ્વ કરતો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસનપદ્વતિ નક્કી થાય છે.