કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ? વલ્લભભાઇના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે ?
કૉર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ દરમિયાન વલ્લભભાઇને એક પ્યુન તાર આપી ગયો. એમાં એમનાં પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને કૉર્ટ્ની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે.