વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે ?
વલ્લભભાઈની રમુજીવૃત્તિના ઘણા પ્રસંગો મહાદેવભઈની ડાયરીમાં નોંધાયા છે. એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો : 'રચનાત્મક ગફલત'. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ? પણ સરદાર બિરબલની છટાથી કહ્યું, "ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી એવી દાઝેલી દાળ !" આમ, રચનાત્મક ગફલતને દાઝેલી દાળ સાથે સરખાવીને રમુજી કરી.