મુંબઈના રેલવે-અમલદારો તારને કેમ વંચ્યા જ કરતા હતા ?
એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથદાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશનમાસ્તરે ઉપરી અમલદારને તાર કરી તરત ખબર આપવા જોઈએ. આથી સ્ટેશનમાસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું, પણ પાડા માટે એંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની વિમાસણમાં એ પડી ગયા. તારમાસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પુંછ્યું એટલે છોટુભાઈએ કહ્યું, "ભેંસનો વર." તારમાસ્તરે તાર કર્યો : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE. મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા.