નીચેના દુહાનો મુખ્ય વિચાર કહો.
ગુણની ઉપર ........ ખત્રિયાં વટ્ટ.
ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારાં વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ.
સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે; પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તોપણ એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે, એજ સાચો ધર્મ છે.