કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે ?
કવ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું કહે છે હિંમતથી દુ:ખોથી સામનો કરવાનું કહે છે. અંત:કરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકુળ જઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે, તેમજ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં કે કંઈ મળે તેને સવાયું કરીને એની સોગાત આવનારી કાલને આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે.