આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે ?
પણ ભાઇ, દવા પીધા વિના તે કાંઈ ચાલે ?
અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે.