સુદામાના આગમનની શીકૃષ્ણ પર શી અસર થઈ ?
ેઉદામાના આગમનની જાણ થતાં જ શ્રીક્ર્ષ્ણ 'હેં હેં' કરતાં સફાળા ઉઠ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં. દોડતાં દોડતાં તેમનું ખભે નાખેલું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ સમાતો નહોતો. એમને દોડવાથી શ્વાસચડતો હતો,તેઓ હાંદી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢલી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ જુગ લાગતી હતી.