શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દ્વશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
શ્રીક્ર્ષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્વર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્વશ્ય જોઈ રહ્યા હતા. શીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયા સરસા ચાંપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરાં પરથી વરસાદનાં પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતા જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. સુદામાએ શ્રીકૃષ્ણનાં આંસુ લુછ્યાં. શ્રીકૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબીપાત્ર લઈ લીધું અને કહ્યું " તમે અહીં આવીને મારા ગામને પવિત્ર કર્યું. હવે મારા ધામ ને પાવન કરો."