સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી ?
સુદામાને ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતાં બોલ્યા, "આ શા ફૂટડા મિત્ર સુદામા ! આવા દ્વરિદ્વ અને કદરૂપા સુદામાને મળવા આ શ્રીકૃષ્ણ શું જોઈને દોડીને ગયા ? બંનેની નાનપણની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જોવા જેવી છે. શ્રીકૃષ્ણે શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જ્યારે સુદામાએ શરીરે જાણે ભસ્મનો લેપ કર્યો છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર છળી મરશે."