CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સેવાક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે ?
પ્રાથમિક ક્ષેત્રમાં કયાં કયાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે ?
ભારતમાં ‘ઉદારીકરણ’ની નીતિ કઈ સાલથી શરૂ થઈ ?
(1) દેશમાં સિંચાઈ યોજનાઓ દ્વારા સિંચાઈની સગવડો વિકસાવાઈ રહી છે.
(2) વધુ ઉત્પાદન માટે સરકાર સબસિડીના ધોરણે ખેડૂતોને NPK, DAP અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો આપે છે.
(3) સરકાર તરફથી કૃષિ ધિરાણ યોજના દ્વારા જરૂરિયાતવાળા ખેડુતોને આર્થિક લોન, તગાવી કે સબસિડી સ્વરૂપે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ખેડૂતોને ઉત્તમ બિયારણો, જંતુનાશક દવાઓ, પંપસેટ કે ટ્રૅક્ટરની ખરીદીમાં પણ રાહત આપવામાં આવે છે.
(4) ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાની અને દૂરદર્શન દ્વારા કૃષિ ની વૈજ્ઞાનિક પદ્વતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
(5) કુશળ કૃષિવિદ્દ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
(6) ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે આધુનિક ખરીદ-વેચાણ મંડળીની સ્થાપના કરવામાં આવી છે.
(7) સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.
(8) કૃષિ વીમા યોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ આપવામાં આવ્યું છે.
(9) કેટલીક વાર સરકાર મગફળી અને કાંદા જેવી પેદાશો પોતે ખરીદી લે છે. ખેડુતોને વાજબી વળતર મળે એ હેતુથી કેટલાંક રાજ્યો પોતે અનાજ, કપાસ અને શેરડી જેવા પાકોની મોટા પાયે ખરીદી કરે છે.