Chapter Chosen

ભારતમાં રાષ્ટ્રવાદ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
રાષ્ટ્રવાદ એટલે શું ?

Advertisement
ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો કયાં કયાં હતાં ?

ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો :

(1) રાજકીય : 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એકહથ્થુ બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એકસરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા ભાવના જન્મી.

(2) આર્થિક : અંગ્રેજોની આર્થિક શોષણનીતિને કારણે ભારતનો કારીગરવર્ગ બેકાર થઈ ગયો. એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો પણ બન્યા. ભારતના ભોગે ઈંગ્લૅન્ડને સમૃદ્વ બનાવવાની અંગ્રેજનીતિને લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે તેમના હકો માટે સંઘો સ્થાપ્યા. આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃત્તિ આવી.

(3) વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો : ભારતમાં રેલવે, તાર-ટપાલ, આગબોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી. પરિણામે દેશના લોકો એકબીજાની નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા.

(4) શિક્ષણ અને સાહિત્ય : ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થવાથી લોકોને લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાસ વગેરે માટે પ્રેરણા મળી. આથી તેમના રાજકીય દ્વષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી કેળવણીએ શિક્ષિઓત ભારતીયોને એક બનાવ્યા.

આ સમયમાં ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા વિવિધ પ્રકારના સાહિત્યે રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો. એ સાહિત્યે લોકોને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો.

(5) વર્તમાનપત્રો :રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. 

(6) ભારતનો ભવ્ય વારસો : પશ્વિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. તેનાથી લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગ્રત થઈ.

Advertisement
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ ?

હિંદી રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.

બંગાળાના ભાગલાનાં શાં પરિણામ આવ્યાં ? 

Advertisement