Chapter Chosen

ભારતમાં રાષ્ટ્રવાદ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ ?

Advertisement
બંગાળાના ભાગલાનાં શાં પરિણામ આવ્યાં ? 

બંગાળાના ભાગલાના વિરોધમાં સમગ્ર બંગાળામાં વિશાળ સભાઓ યોજાઈ અને સરઘસો કાઢવામાં આવ્યાં.અસંખ્ય પત્રિકાઓ વહેચવામાં આવી. આ આંદોલનનું સંચાલન કરવા માટે એક લડત સમિતિ રચવામાં આવી. તેમાં સુરેન્દ્વનાથ બેનરજી, બિપિનચંદ્વ પાલ, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ વગેરે મહાસભાના તેતાઓ મુખ્ય હતા. બંકિમચંદ્વ પાલ, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ વગેરે મહાસભાના નેતાઓ મુખ્ય હતા. બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની 'આનંદમઠ' નવલક્થાનું 'વંદે માતરમ' ગીત આ આંદોલનનું નારો બન્યું. આખા દેશમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. 16 ઑક્ટૉબર, 1905ના ભાગલાના દિવસને 'શોકદિન' તરીકે મનાવવામાં આવ્યો અને હડતાલ પાડવામાં આવી. કવિવર રવીન્દ્વનાથ ટાગોરના સૂચનથી તે દિવસને 'એકતાદિન' તરીકે ઊજવવામાં આવ્યો.

બંગભંગના આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં : (1) બહિષ્કાર, (2) સ્વદેશી કાર્યક્રમ અને (3) રાષ્ટ્રીય શિક્ષણ.

(1) બહિષ્કારના કાર્યક્રમ મુજબ લોકોએ સરકારી નોકરીઓ, સરકારી શિક્ષણસંસ્થાઓ, અદાલતો, ખિતાબો વગેરે ત્યાગ કરવાનો હતો.

(2) સ્વદેશીના કાર્યક્રમ મુજબ વિદેશી કાપડ અને અન્ય પરદેશી ચીજવસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. લોકોને સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોનાં લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીના કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો. ઘણે સ્થળે પરદેશી માલની હોળી કરવામાં આવી. પરદેશી માલની દુકાનો પર પિકેટિંગ કરવામાં આવ્યું. ઇંલ્ગૅન્ડથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. ઇંગ્લૅન્ડ્થી આયાત થતી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવાથી તેની આયાત ખૂબ ઘટી ગઈ.

(3 રાષ્ટ્રીય શિક્ષણના કાર્યક્રમ મુજબ સરકારી શિકણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ઇ.સ. 1907માં બંગાળામાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. ઈ.સ. 1901 માં રવીન્દ્વનાથ ટાગોરે શાંતિનિકેતરમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કર્યું.

Advertisement
રાષ્ટ્રવાદ એટલે શું ?

હિંદી રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.

ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો કયાં કયાં હતાં ?

Advertisement