ટુંક નોંધ લખો.
હિંદ છોડો ચળવળ
અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢીને પૂર્ન સ્વરાજ મેળવવા માતે ઇ.સ. 1942માં ગાંધીજીએ 'હિંદ છોદો'ની ચળવળ શરૂ કરી.
ગાંધીજીએ અંગ્રેજોને ચેતવણી રૂપે કયું કે, તાત્કાલીક ભાર છોડો. ગાંધીજીએ દેશના સંમગ્ર લોકોને આદેશ ક્ર્યો કે, તેઓ 'કરેંગે યા મરેંગે' ના સિદ્વાંત પર અંગ્રેજો વિરુદ્વ અહિંસક સંઘર્ષ કરે. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતીની બેઠકમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે 'અંગ્રેજો, હિંદ છોડો' નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
અંગ્રેજ સરકારે 9 ઑગસ્તની વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર્યા. આનાથી પ્રજાનો રોષ ફાતી નીકળ્યો. 'હિંદ છોડો; નું આંદોલન દેશભરમાં ફેલાઈ ગયું. પ્રચંડ હડતાલો પડી. સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો થયા. આ આંદોલનમાં ખેડૂતો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. દેશમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. લોકોએ સરકારી મકાનો અને તાર-ટેલિફોનનાં માધ્યમોને ભારે નુકસાન પહોંચાડ્યું. અંગ્રેજ સરકારે સામૂહિક ધરપકડો, જપ્તી અને જેલ જેવી દમનની રીતો દ્વારા 'હિંદ છોડો' ચળવળને દબાવી દેવા પ્રયત્નો કર્યા. પરંતુ તે આ ચળવળને દબાવી શકી નહી. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય પરાધીન રાખવાનું શક્ય નથી.