વસ્તીગણતરી શા માટે કરવામાં આવતી હશે ? તમારા વિચારો લખો.
કોઈ પણ દેશના વિકાસનો મોટો ફાળો તેના માનવ સંશાધન પર હોય છે, કારણ કે અન્ય સંશાધનોનો વિકાસ કરનાર પણ માનવ જ છે. દેશના વિકાસ માટે માનવવસ્તીનું કદ અને તેની ગુણવત્તા પાયારૂપ છે. લોકોની આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહત્વાકાંક્સા જેવી બાબતોથી ઉત્પાદકતા વધે છે અને દેશનો વિકાસ થાય છે.
દેશના લોકોની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તીગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી યોજનાઓ, ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ, પરિવહન વગેરે વિષયોનું આયોજન કરવાના ભાગ રૂપ વસ્તીગણતરી કરવી જરૂર છે.