વસ્તીવધારો કેમ ઝડપથી રહે છે તે જણાવો.
ભારતમાં છેલ્લા છ દાયકામાં અસાધારણ કહી શકાય એવો વસ્તીવધારો થયો છે અને હજી પણ થઈ રહ્યો છે.
બે સદી અગાઉ ભારતમાં વસ્તીવધારાનો દર નીચો હતો, કારણ કે બાળમૃત્યુનું પ્રમાન મોટું હતું. કૉલેરા, પ્લેગ અને ક્ષય જેવા રોગો અસાધ્ય હતા. દુષ્કાળ વખતે હજારો લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી અને સારા રસ્તાઓ તેમજ ઝડપી પરિવહન સેવાના અભાવે સગર્ભા મહિલાઓનું મૃત્યુપ્રમાણ મોટું હતું. આજે આ પરિસ્થિતિઓમાં ઘણો સુધારો થયો હોવાથી મૃત્યુદર ઘટ્યો છે. ઉપરાંત, જીવનધોરણ સુધરવાથી સરેરાશ આયુષ્ય વધ્યું છે. તેની સામે જન્મદર ખાસ ઘટ્યો નથી.
નિરક્ષરતા, અંધશ્રદ્વા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળલગ્ન, વિધવા, પુનર્લગ્ન, ગરીબી, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ વગેરે પરિબળોના કારણે વસ્તીવધારો થતો રહે છે.