Chapter Chosen

સર્વોચ્ચ અદાલત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલાં વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે કરુ અને જે વાક્ય ખોટું હોય તેની સામે  કરી તેને સુધારીને ફરીથી લખો :
1. મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ, કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહી.
2. તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્વ વદી અદાલતમાં ગઈ.
3. તેના વિશેના ચુકાદામા6 સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો.

નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે. તેનાથી કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહી. આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો ? એ વિશે ચર્ચા કરો.

રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો.


ન્યાતતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ ?

Advertisement
જાહેરહિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે ?

ગરીબ અને નિરક્ષર લોકો પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકતા નથી. તેઓ લખી-વાંચી શકતા નથી તેમજ તેમની પાસે પૈસા હોતા નથી. તેમનું સમગ્ર કુટુંબ મજૂરી કરીને ગુજરાન ચલાવયું હોય છે. અદાલતની કાનૂની પ્રક્રિયામાં ઘણા પૈસાનો ખર્ચ થાય છે અને સમય પણ બહુ અદાલતની કાનૂની પ્રક્રિયામાં લખાણપટ્ટિની આંટીઘુંટી પણ વધારે હોય છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે.આથી ઇ.સ. 1980માં સર્વોચ્ચ અદાલતે વધુમાં વધુ લોકો સુધી ન્યાય પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વ્યવસ્થામાં સર્વોચ્ચ અદાલતે વધુમાં વધુ લોકો સુધી ન્યાય પહોંચાદવાનો પ્રયત્ન કર્યો છે. ન્યાયતંત્રે ગરીબો તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને જાહેરહિતની અરજી કરવાનો અધિકાર આપ્યો છે. કોઈ વ્યક્તિને એમ લાગે કે મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી કરી શકે છે. બંને અદાલતો જાહેરહિતના દાવા માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને એ અંગે જરૂરી આદેશો આપે છે. આ ઉપરાંત, વદી અદાલત સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં માનવહકોનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દાને ધ્યાનમાં લઈને તે આપમેળે ફરિયાદ દાખલ કરી, કાનૂની પગલાં લઈને ન્યાય આપી શકે છે. આથી જાહેરહિતની અરજીની વ્યવસ્થાને મહત્વનું પગલું ગણવામાં આવે છે.

Advertisement
Advertisement