અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા ?
અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસનને નીચે જણાવેલ ફાયદા થયા :
- દેશનો વહીવટ કરવા માટે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનારા કર્મચારીઓ મળવા લાગ્યા.
- રેલમાર્ગો દ્વારા અંગ્રેજી માલની અને લશ્કરની હેરફેર સુગમ બની.
- ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા તેમજ ઇંલ્ગૅન્ડ સાથે સંદેશાવ્યવહાર માટે આધુનિક તાર-ટપાલને પદ્વતિ ઉપયોગી બની.
અંગ્રેજોએ કરેલા સુધારાથી ભારતીય લોકોને થયેલા ફાયદા :
- ભારતીયોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો.
- શિક્ષિત ભારતીયોમાં સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાયું.
- લોકો અંગ્રેજી કેળવણીને લીધે વિશ્વના નૂતન પ્રવાહોથી માહિતગાર થયા. તેમણે દેશમા.
- સમાજસુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિ માટે અગત્યની ભૂમિકા ભજવી.
- વર્તમાનપત્રો, તાર-ટપાલ અને રેલવેને લીધે ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા.