કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત છે ?
બંધારણ વિના કોઈ પણ દેશનો રાજ્યવહીવટ ચાલી શકે નહી. બંધારણ વિના દેશના શાસનની કલ્પના પણ થઈ શકે નહી. બંધારણ દ્વારા જ દેશની સરકારનું સ્વરૂપ અને તેની શાસનપદ્વતિ નક્કી થાય છે. બંધારનથી અનેક ઉદ્દીશો સિદ્વ થઈ શકે છે. બંધારણ મૂલ્યો અને આદર્શોને સૂત્રબદ્વ કરતો દસ્તાવેજ છે. પ્રજાએ ચુંટેલા પ્રતિનિધિઓ બંધારણ અનુસાર શાસનતંત્ર ચલાવે છે. તેઓ સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે બંધારણમાં નિયમો બનાવેલા હોય છે.