ભારતદેશને શા માટે 'પ્રજાસત્તાક દેશ' કહેવામાં આવે છે ?
ભારતદેશમાં સરકારને સરકારને લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થાય છે. તેથી ભારત પ્રજાસત્તા લોકશાહી દેશ કહેવાય છે. દેશનું શાસનતંત્ર કઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી. રાજ્યવહીવટના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખૂલ્લા છે. ભારતની પ્રજા ચુંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી, નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આથી ભારતદેશને ;પ્રજાસત્તાક દેશ' કહેવામાં આવે છે.