યુરોપિયન પ્રજાઓને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી ?
પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીનમાર્ગથી ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશોમાં વેચતા. યુરોપ અને એશિયાના દેશોના વેપારમાર્ગનું મુખ્ય મથક ગણાતું કૉન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કોએ જીતી લીધું. પરિણામે યુરોપ અને ભારત વચ્ચેના વેપારનો માઅર્ગ બંધ થયો. યુરોપના દેશોમાં ભારતનાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરીમસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. યુરોપના લોકોને ભારતના મરીમસાલા અને તેજાના વરગ ચાલી શકે તેમ ન હતું. આથી તેમને ભારત તફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરી પડી.