પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ?
17 મી સદી શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગપેસારો કર્યો. આથી બંગાળના સૂબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમનાં વહાણો સળગાવી દેવામાં આવ્યાં. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવવા લાગ્યો. પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી.