લોકશાહી એટલે શું ? તેનું મુખ્ય લક્ષ્ય શું છે ?
લોકશાહી એટલે 'લોકોનું, લોકા માટે અને લોકો દ્વારા ચાલતું શાસન.' લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે આપણા દેશમાં ચુંટણી યોજાય છે. તેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચુંટી કાઢે છે. ચુંટેલા પ્રતિનિધિઓ સરકાર ઇચ્છાને ધ્યાનમાં રાખીને દેશનું શાસન ચલાવે છે. ચૂટેલા પ્રતિનિધિઓ સરકાર રચતા હોવાથી, લોકશાહીનું સંચાલન લોકો જ કરે છે. લોકશાહીમાં દેશના બધા લોકોના હાથમાં સાર્વભૌમત્વ હોય છે. લોકશાહીમાં લોકો પોતે જ પોતાના ભાગ્યવિધાતા છે.
સાર્વભૌમત્વ એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહીમાં દેશના બધા લોકોના હાથમાં સાર્વભૌમત્વ હોય છે. લોકશાહીમાં લોકો પોતે જ પોતાના ભાગ્યવિધાતા છે.
દેશના વધુમાં વધુ લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે.