ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું ?
ઠંડી આબોહવાવાલા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે. પરિણામે છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શક્યો નથી. તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કે કાપડની દીવાલો અને છતવાળું ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે. આમ કરવાથી ગ્રીનહાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીનહાઉસમાંના છોડ, શાકભાજી, અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલાં કાર્બન ડાયૉક્સાઇડ પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને 'ગ્રીનહાઉસ ઇફેક્ટ' કહે છે.