CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.
માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે, ભુખ લાગે આને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભુખ લાગી હોય, પણ એકાદશી ને કારાણે ભગવત-કાર્ય કરે આને એક દિવસનો ઉપવાસ કરી અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે. મહેનત ન ક્કરે અને બીજાની મહેનતને લુંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપાણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે જેને સંસ્કૃતિવર્ધન કહેવાય.