CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?
નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?
નાનજીભાઇ મહેતા સ્પષ્ટપણે માનતા હતા કે પુત્રપુત્રીમાં સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના જ ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્યસમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ-પદ્વતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં ‘આર્યકન્યા ગુરુકુળ’ની સ્થાપના કરી. આ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હસ્તે નંખાવ્યો. આ તેમનું અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લાં 80 વર્ષથી ચાલતી આર્યકન્યા ગુરુકુળમાંથી 30 હજારથી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. એથી વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ-વિદેશમાં દીવડી બનીને પ્રકાશ પાથરી રહી છે. આર્યકન્યા ગુરુકુળને તેમનાં પુત્રી સવિતાબહેન પણ વર્ષો સુધી ઉતમ માર્ગદર્શન આપતાં રહ્યાં.