CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં ઉનાળાની ઋતુમાં માર્ચથી મે સુધી ચાલે છે. ઉત્તર ભારતના મેદાનના વાયવ્ય વિસ્તારમાં તે છેક સુધી લંબાય છે.
આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો લંબ પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે. દક્ષિણ ભારતમાં તો માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય છે. અહીં માર્ચ મહિનામાં કેટલાંક સ્થળોનું મહત્તમ તાપમાન 40 સે જેટલું ઊંચું રહે છે. એપ્રિલ અને મે મહિનામાં મધ્ય અને વાયવ્ય ભારતમાં ઘણી ગરમી પડે છે. મે મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં કેટલાક સ્થળોનું મહત્તમ તાપમાન 40 સે થી 50 સે જેટલું થઈ જાય છે. આમ, સમગ્ર ભારતમાં ઉનાળામાં એકંદરે હવામાન ગરમ રહે છે.
ઉત્તર ભારતની સરખામાણીમાં દક્ષિણ ભારતમાં ઉનાળામાં થોડી ઓછી ગરમી પડે છે. દક્ષિણ ભારતમાં સમુદ્રની નિકટતા અને તેના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ ઉનાળાને થોડી સૌમ્ય બનાવે છે. જેમ કે; ઉનાળામાં દિલ્લી અને અલહાબાદનું તાપમાન 34 સે જેટલું હોય છે, જ્યારે દક્ષિણમાં આવેલાંં બેંગલુરુ અને કોચીનું તાપમાન 27 સે તથા મદુરાઈનું 30 સે જેટલું છે.
ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે.
ભારતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી. પરંતુ ક્યારેક મલબાર કિનારે મે માસમાં થોડો વરસાદ પડે છે. જેને ‘આમ્રવૃષ્ટિ’ કહેવામાં આવે છે. તે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે.
................... ભારતની મહત્વની ઋતુ છે.
પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.