Chapter Chosen

આબોહવા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ભારતના ઉનાળ વિશે માહિતી આપો. 

ભારતમાં ઉનાળાની ઋતુમાં માર્ચથી મે સુધી ચાલે છે. ઉત્તર ભારતના મેદાનના વાયવ્ય વિસ્તારમાં તે છેક સુધી લંબાય છે.

આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો લંબ પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે. દક્ષિણ ભારતમાં તો માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય છે. અહીં માર્ચ મહિનામાં કેટલાંક સ્થળોનું મહત્તમ તાપમાન 40bold degree સે જેટલું ઊંચું રહે છે. એપ્રિલ અને મે મહિનામાં મધ્ય અને વાયવ્ય ભારતમાં ઘણી ગરમી પડે છે. મે મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં કેટલાક સ્થળોનું મહત્તમ તાપમાન 40bold degree સે થી 50bold degree સે જેટલું થઈ જાય છે. આમ, સમગ્ર ભારતમાં ઉનાળામાં એકંદરે હવામાન ગરમ રહે છે.

ઉત્તર ભારતની સરખામાણીમાં દક્ષિણ ભારતમાં ઉનાળામાં થોડી ઓછી ગરમી પડે છે. દક્ષિણ ભારતમાં સમુદ્રની નિકટતા અને તેના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ ઉનાળાને થોડી સૌમ્ય બનાવે છે. જેમ કે; ઉનાળામાં દિલ્લી અને અલહાબાદનું તાપમાન 34bold degree સે જેટલું હોય છે, જ્યારે દક્ષિણમાં આવેલાંં બેંગલુરુ અને કોચીનું તાપમાન 27bold degree સે તથા મદુરાઈનું 30bold degree સે જેટલું છે.

ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે.

ભારતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી. પરંતુ ક્યારેક મલબાર કિનારે મે માસમાં થોડો વરસાદ પડે છે. જેને ‘આમ્રવૃષ્ટિ’ કહેવામાં આવે છે. તે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે.


Advertisement

................... ભારતની મહત્વની ઋતુ છે.


પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.


ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ જણાવો. 

ભારતની વર્ષાઋતુ પર નોંધ લખો. 

Advertisement