CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં આ ઋતુ ઑક્ટોમ્બર-નવેમ્બરના સમયગાળામાં હોય છે.
સપ્ટેમ્બર પછી ભારતમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને સૂર્યનાં સીધાં કિરણો દક્ષિણ તરફ ખસતાં જાય છે. આથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ અને ઉત્તર ભારતમાં હવાનું ભારે દબાણ વિકસતું જાય છે. પરિણામે ચોમાસામાંં વાતા નૈઋત્યના મોસમી પવનો સપ્ટેમ્બરના અંતે નબળા પડે છે અને ઑક્ટોબરમાં આ પવનો ભારતના જમીન ભાગોમાંથી પાછા ફરીને સમુદ્ર તરફ વાવા લાગે છે. તેથી ઓક્ટોબર-નવેમ્બર મહિનાના સમયગાળાને ‘પાછા ફરતા મોસમી પવનોની ઋતુ’ કહે છે.
ઉત્તર ભારતમાં આ પવનો નરમ વંટોળના સ્વરૂપમાં વાય છે ત્યારે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે ભાગોમાં થોડો વરસાદ આપે છે, જે રવી પાકને ફાયદો કરે છે.
ચોમાસામાં નૌઋત્યમાંથી વાતા પવનો આ ઋતુમાં દિશા બદલીને ઈશાનમાંથી વાય છે. તે બંગાળાની ખાડી પરથી પાસાર થતાં ભેજવાળા બને છે અને તમિલનાડુન અકોરોમંડલ કિનારે સારો વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષાઋતુ ગણાય છે.
ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન આર્દ્ર અને ગરમ વર્ષાઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. આ ઋતુનું પ્રાથમિક લક્ષણ સ્વચ્છ આકાશને લીધે તાપમાન વધી જાય છે. પરંતુ રાત્રી ઠંડી અને ખુશનુમા હોય છે. જમીન હજી ભેજવાળી હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. ઊંચા તાપનામ અને ભેજના વધુ પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ‘ઑક્ટોબર હીટ’ કહે છે. ગુજરાતમાં તે ‘ભાદરવી તાપ’ કહે છે.
................... ભારતની મહત્વની ઋતુ છે.
પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.