CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં અનેક નાનાં-મોટાં સરોવરો છે.
ભારતમાં મીઠાપાણીના સરોવરો મુખ્યત્વે હિમાલયના ક્ષેત્રમાં છે. તે મોટા ભાગે હિમનદીથી બન્યાં છે. પહાડોના ઢોળાવો પર હિમથી ભરાયેલા ગર્તનો હિમ આબોહવા ગરમ થવાથી પીગળી જતાં પાણી ગર્તમાં જ ભરાઈ રહે છે અને સરોવર રચાય છે.
કશ્મિરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાને કારણે બનેલું છે. તે ભારતનું મીઠા પાણીનું સૌથે મોટું કુદરતી સરોવર છે.
શ્રીનગરનું ડાલ સરોવર, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, બડાપાની વગેરે મીઠા પાણીનાં મહત્વનાં સરોવરો છે.
વિસર્પી નદીઓમાં પૂરનાં પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવાં સરોવરો રચાયા છે.
સમુદ્રની ભરતીના કારણે દરિયાકિનારે ‘લગૂન’ રચાયા છે.
ઓરિસ્સાનું ચિલ્કા સરોવર, કોરોમંડલ કિનારાનું પુલિકટ સરોવર અને મલબાર કિનારાનું વેમ્બનાડ સરોવર ખારા પાણીના મોટાં ‘લગૂન’ સરોવરો છે. તેમાં ચિલ્કા સૌથી મોટું સરોવર છે. તે ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે.
રાજસ્થાનનું સાંભર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવાય છે.
ભારતનાં અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલા છે.
..................... નદીએ ધુઆધાર ધોધની રચના કરી છે.
.................. નદીઓ મોસમી હોય છે.