Chapter Chosen

જળ-પરિવાહ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ભારતનાં સરોવરો વિશે મુદ્દાસર લખો. 

ભારતમાં અનેક નાનાં-મોટાં સરોવરો છે.

ભારતમાં મીઠાપાણીના સરોવરો મુખ્યત્વે હિમાલયના ક્ષેત્રમાં છે. તે મોટા ભાગે હિમનદીથી બન્યાં છે. પહાડોના ઢોળાવો પર હિમથી ભરાયેલા ગર્તનો હિમ આબોહવા ગરમ થવાથી પીગળી જતાં પાણી ગર્તમાં જ ભરાઈ રહે છે અને સરોવર રચાય છે.

કશ્મિરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાને કારણે બનેલું છે. તે ભારતનું મીઠા પાણીનું સૌથે મોટું કુદરતી સરોવર છે.

શ્રીનગરનું ડાલ સરોવર, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, બડાપાની વગેરે મીઠા પાણીનાં મહત્વનાં સરોવરો છે.

વિસર્પી નદીઓમાં પૂરનાં પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવાં સરોવરો રચાયા છે.

સમુદ્રની ભરતીના કારણે દરિયાકિનારે ‘લગૂન’ રચાયા છે.

ઓરિસ્સાનું ચિલ્કા સરોવર, કોરોમંડલ કિનારાનું પુલિકટ સરોવર અને મલબાર કિનારાનું વેમ્બનાડ સરોવર ખારા પાણીના મોટાં ‘લગૂન’ સરોવરો છે. તેમાં ચિલ્કા સૌથી મોટું સરોવર છે. તે ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે.

રાજસ્થાનનું સાંભર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવાય છે.

ભારતનાં અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલા છે.


Advertisement
સિંધુ નદી પ્રણાલી વિશે સમજાવો. 

..................... નદીએ ધુઆધાર ધોધની રચના કરી છે.


હિમાલયની નદીઓ વિશે ટુંકમાં માહિતી આપો. 

બ્રહ્મપુત્ર નદી પ્રણાલીની માહિતી આપો. 

.................. નદીઓ મોસમી હોય છે.


Advertisement