CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ ?
ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય અદાલત
ટુંકનોંધ લખો.
જાપાનની સામ્રાજ્યવાદી નીતિ
ટુંકનોંધ લખો.
દ્વિતિય વિશ્વયુદ્ધ એક પરિબળ તરીકે લશ્કરવાદ
1 સપ્ટેમ્બર, 1939ના રોજ દ્વિતિય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે જુથમાં વહેંચાઈ ગયા : 1 મિત્રરાષ્ટ્રો તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને તેમનાં મિત્રરાષ્ટ્રોનું જૂથ 2. ધરારાષ્ટ્રો તરીકે ઓળખાતાં જર્મની, ઈટાલી, જાપાનઅને તેમના સાથી રાષ્ટ્રોનું જુથ.
પૅસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથ પર્લહર્બર પર જાપાને હુમલો કરે અમેરિકન નૌકાદળની ભારે ખુવારી કરી. આથી તટસ્થનીતિ છોડી અમેરિકાએ જાપનની સામે યુદ્ધ જાહેર કર્યું. અમેરિકા યુદ્ધમાં જોડાતાં મિત્રરાષ્ત્રોની તાકાતમાં વધારો થયો. પરિણામે યુદ્ધની બાજી પલટાવા લાગી.
7 મે, 1945ના રોજ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વિકારી. યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.
યુદ્ધનો અંત આવતાં મિત્રરાષ્ટ્રોએ જાપાન પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ જાપનનાં હિરોશિમા અને નાગાશાકી નામનાં શહેરો પર અણુબૉમ્બ નાંખ્યા. તેનાથી મહાભયાનક વિનાશ પામ્યો.
જાપનના 1 લાખ 24 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો ઘાયલ થયા.
આથી જાપાને 11 ઑગષ્ટ, 1945ના દિવસે શરણાગતિ સ્વીકારી. એ સાથે દ્વિતિય યુદ્ધનો અંત આવ્યો.