CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
25 માર્ચ, 1946ના રોજ બ્રિટિશ સરકારે ત્રણ સભ્યોના બનેલા કૅબિનેટ મિશનને ભારત મોકલ્યું. કૅબિનેટ મિશને રજૂ કરીલી યોજના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણસભાની રચના કરવામાં આવી.
બંધારણસ્સભામાં કુલ 385 સભ્યો હતા.
બંધારણસભામાં વિવિધ કેમ, જાતિ, લિંગ, પ્રદેશો અને રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો.
બંધારણસભામાં જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખરજી, એચ.પી.મોદી. એચ.વી.કામથ, ફ્રેન્ક ઍન્થની, એન.ગોપાલ સ્વામીઆયંગર, કૃષ્ણ સ્વામી અય્યર, બલદેવસિઘ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષણાતો તરીકે ડૉ.ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રીસભ્યો તરીકે સરોજિની નાયડું અને શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે સમાવેશ કરવામાં આવ્યો હતો.
બંધરણસભાના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડો.ભીમરાવ આંબેડકરના આધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી.
9 ડિસેમ્બર, 1946ના દિવસથી બંધારણસભાએ તેની કામગીરી શરૂ કરી. આ ભગીરથી કાર્ય પૂરુ કરવા કુલ 166 બેઠકો યોજી હતી. એ કામગીરી કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચાલી હતી.
બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતાં. એ પછી તેમાં સુધારા થતાં 461 અનુચ્છેદો અને 12 પરિસિષ્ટો થયાં.
આ સમય દરમિયાન બંધારણસભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા-વિચારણા કરી, તેને 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કર્યું.
26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાંઆવ્યો અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આથી આપણા દેશમાં 26 જાન્યુઆરીનો દિવસ ‘પ્રજસત્તાકદિન’ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતના બંધારણમાં ઈંગ્લૅન્ડ, આયર્લૅન્ડ, ફ્રાન્સ, યૂ.એસ.એ. વગેરે લોકશાહી દેશોનાં કેટલાક વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.