Chapter Chosen

ભારતનું ન્યાયતંત્ર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. 

સર્વોચ્ચ અદાલતની અપીલ ક્ષેત્રાધિકાર હેઠળ સત્તાઓ વર્ણવો. 

ટુંકનોંધ લખો. 
સર્વોચ્ચ અદાલતનો સલાહકરી ક્ષેત્રાધિકાર

Advertisement
વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. 

વડી અદાલતના કાર્ય્ક્ષેત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. 1. મૂળભૂત અધિકારક્ષેત્ર, 2. અપીલ અધિકારક્ષેત્ર, અને 3. વહીવટી અધિકારક્ષેત્ર.

મૂળભૂત અધિકારક્ષેત્ર : આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકારક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશો આપે છે.

તે ચૂંટણીને, કાયદાને તેમજ લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા મુકદમા સંભળીને ચુકાદા આપે છે.

તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આવેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે.

અદાલતી તિરસ્કારને લગતા, જમીનમહેસુલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન-સંપાદન અને તેના વળતર સબંધી દાવાઓના મુકદમા ચલાવે છે અને તેના ચુકાદા આપે છે.

અપીલ અધિકારક્ષેત્ર : આ અધિકાર હેઠળ વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્દની અપીલો સાંભળે છે.

જિલ્લાની ફોજદારી અદાલતના ન્યાધીશો આરોપીને તેના ગુના માટે ચાર વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય, એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે.

ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય, તેવા કેસમાં વડી અદાલતમાં ફરીયાદ કરી શકાય છે.

ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે.

પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટનસબંધી પ્રશ્ન રહેલો છે, એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ કરી શકે છે.

વહીવટી અધિકારક્ષેત્ર :
આ અધિકાર હેઠળ વડીઅદાલત રાજ્યની બધી અદાલતો અને ન્યાયપંચો પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરક્ષણ કરે છે.

જરૂર જણાય તો વડી અદાલત તાબાની અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવી કેસ ચલાવી શકે છે.

તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા નિયમો બનાવીને તેમને મોકલે છે.

તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું માર્ગદર્શન આપે છે.

તે બંધારણને આધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે.

તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે.


Advertisement
સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ જણાવો.

Advertisement