CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વડી અદાલતના કાર્ય્ક્ષેત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. 1. મૂળભૂત અધિકારક્ષેત્ર, 2. અપીલ અધિકારક્ષેત્ર, અને 3. વહીવટી અધિકારક્ષેત્ર.
મૂળભૂત અધિકારક્ષેત્ર : આ અધિકાર હેઠળ વડી અદાલત તેના અધિકારક્ષેત્રમાં આવતી સરકાર, સત્તામંડળ કે વ્યક્તિને મૂળભૂત હકોના ભંગ બદલ થયેલી રીટ અંગે આદેશો આપે છે.
તે ચૂંટણીને, કાયદાને તેમજ લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા મુકદમા સંભળીને ચુકાદા આપે છે.
તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આવેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે.
અદાલતી તિરસ્કારને લગતા, જમીનમહેસુલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન-સંપાદન અને તેના વળતર સબંધી દાવાઓના મુકદમા ચલાવે છે અને તેના ચુકાદા આપે છે.
અપીલ અધિકારક્ષેત્ર : આ અધિકાર હેઠળ વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્દની અપીલો સાંભળે છે.
જિલ્લાની ફોજદારી અદાલતના ન્યાધીશો આરોપીને તેના ગુના માટે ચાર વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય, એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે.
ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય, તેવા કેસમાં વડી અદાલતમાં ફરીયાદ કરી શકાય છે.
ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે.
પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટનસબંધી પ્રશ્ન રહેલો છે, એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ કરી શકે છે.
વહીવટી અધિકારક્ષેત્ર : આ અધિકાર હેઠળ વડીઅદાલત રાજ્યની બધી અદાલતો અને ન્યાયપંચો પર દેખરેખ રાખે છે તેમજ તેની કામગીરીનું નિરક્ષણ કરે છે.
જરૂર જણાય તો વડી અદાલત તાબાની અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવી કેસ ચલાવી શકે છે.
તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા નિયમો બનાવીને તેમને મોકલે છે.
તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું માર્ગદર્શન આપે છે.
તે બંધારણને આધીન અને સુસંગત રહીને વિવિધ પ્રકારની ફીના ધોરણો અને કોષ્ટકો નક્કી કરે છે.
તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે.