CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચૂંટણીઓ લોકશાહીની ................ છે.
ચુંટણી બે પ્રકારે હોય છે : 1. પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અને 2. પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી.
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરક્ષણ ચૂંટણીપંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત સંસ્થા છે.
ચૂંટણી-પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રોની ચકસણી, ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશનીતિ વિશે તેમની કામગીરી તેમજ દેશની જુદીજુદી સમસ્યાઓ અંગે તેમનું વલણ સ્પષ્ટ કરે છે.
ચૂંટણે ઝુંબેશમાં સભા-સરઘસો, પ્રવચનો, મતદારોના અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે.
ચૂંટણીપંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે.
ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારો વિજેતા તરીકે જાહેર થાય છે.