CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
ભારતને પોતાનો શર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી.
ભારત ધાર્મિક બાબતો અને માન્યતાઓમાં તટસ્થ છે.
અહીં બધા ધર્મોને સમાન ગણવામાં આવ્યાં છે.
ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક આપ્યો છે.
આ હક દરેક નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરૂદ્ધ ન હોય એવો કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાનો તથા માનવાનો અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે.
આ હકે નાગરિકને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે.
આ ઉપરાંત, આ હક અંવયે નાગરિક પોતાના ધરમન અપ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેનું સંચાલ કરી શકે છે તેમજ એ ધાર્મિક સંસ્થાઓ મિલકત ધરાવી શકે છે.