CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાણાકીય ખરડો પ્રથમ ...................... માં રજૂ થઈ શકે છે.
ભારતની સંસદ નીચલા ગૃહ ને ઉપલા ગૃહ એમ ને ગૃહોની બનેલી છે.
સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે.
સમાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્યસંખ્યા 545 છે.
જો ઍગ્લો-ઈન્ડિયન જાતિનો કોઈ સભ્ય ન ચૂંટાયો હોય, તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની નિમણૂક કરે છે.
દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં બેઠકો મળે છે.
દરેક રાજ્યને તથા સંઘશાસિત પ્રદેશને વિવિધ મતદર વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મતદાર વિભાગ એક સભ્યની ચૂંટણી કરે છે.
લોકસભાના સભ્યો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો પુખ્તવય મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
લોકસભામાં હરિજનો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે.
લોકસભાના સભ્યો પોતાનામાંથી લોકસભાના સ્પીકરના અને ડેપ્યુટી સ્પીકરને ચૂંટે છે.
25 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે સરકારી પગારદાર કર્મચારીઓ, માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલા ગુનેગારો લોકસભામાં ઉમેદવારી નોંધાવી શકતા નથી.
સામાન્ય રીતે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. પરંતુ અસાધરણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે. દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.
રાજ્યસભાની રચના સમજાવો.
.................... સંસદના અભિન્ન અંગ સમાન છે.