CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ : ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
સંસદના બંને ગૃહોના સભ્યો અને બધાં જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યોનું બનેલું મતદારમંડળ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સપ્રમાણ પતિનિધિત્વની પ્રથાથી, ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. પ્ર્ત્યેક સભ્યને એક મતગણાય છે.
સંસદસભ્ય અને દરેક ધારાસભ્યના મતનું મુલ્ય અગાઉથી નક્કી કરવામાં આવે છે.
રાષ્ટ્રપ્રમુખની લાયકાતો : ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેનો ઉમેદવાર નીચેની લાયકાતો ધરવાતો હોવો જોઈએ.
તે ભારતના નાગરિક હોવા જોઈએ.
તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
તે સંઘસરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ.
તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ ચૂંટાય ત્યારે એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત : રાષ્ટ્રપ્રમુખ જે દિવસે પોતાનો હોદ્દો સ્વીકારે, તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદ્દા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઈચ્છે તો રાજીનામું આપીને હોદ્દાનો ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
બંધારણનાભંગના કે એવા અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દ્રષ્તિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરે શકે છે.
હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદાવારી કરે શકે છે.
.................... સંસદના અભિન્ન અંગ સમાન છે.
રાજ્યસભાની રચના સમજાવો.
નાણાકીય ખરડો પ્રથમ ...................... માં રજૂ થઈ શકે છે.