CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહી. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય, તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહી. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનુંય હંમેશાં શોધન કરતાં રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિને રૂપ આપતાં રહેવું. જેમ કે, ભોજન આપણે છોડી નથી શકતા, પણ માંસાહારનો ત્યાગ કરતા હોઈએ છીએ અને આવું કરવાથી આપણી સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીધું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ, માણસ હંમેશાં સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે.
પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.