Chapter Chosen

ભારતીય સંસ્કૃતિની સિદ્વિ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે ? 

પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.


માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે ?

 ભારતમાં કઈ શક્તિ અખલિત પ્રવાહરૂપે વિકસિત થતી આવી છે ? તેનાં કારણો કયાં છે ? 

Advertisement
'ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.' - વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો.

ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાતજાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ. બહુ પ્રયોગો થયા અને તેમાથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયાં. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાનાં કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા- આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણવિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્વષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્વષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્વષ્ટિએ જોતાં ' ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.'- વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે.


Advertisement
Advertisement