Chapter Chosen

લોહીની સગાઇ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક જોષીએ મંગુ માટે ભાખેલા ભવિષ્યની અમરતકાકી પર શું અસર પડી ?

ગામના લોકો કઈ બાબત અંગે અમરતકાકીના વખાણ કરતા ?

“ભુલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય, તો બીજી વખત તરત ભાન રાખે.” આ વાક્ય કોણ બોલે છે ?
  • અમરતકાકીની દીકરી 

  • ગામના લોકો 

  • અમરતકાકીની વહુઓ 

  • દવાખાનાની પરિચારિકા


અમરતકાકીની દીકરીએ માને શું સંભળાવ્યું ?

Advertisement
‘લોહીની સગાઇ’ વાર્તાના અંત વિશે જણાવો.

અમરતકાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચનાક ગાંડી થઇ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમરતકાકીએ પણ મંગુને દવાખાનામાં મુકવાનો નિર્ણય કર્યો. જોકે, આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઇ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતાં. ઘરમાં મંગુની પથારી સુની સુની લાગતીએ હતી. આટલાં વર્ષોથી મા સાથે સુવા ટેવાયેલી મંગુને ઉંઘ આવી હશે કે નહી એ વિચારથી તેઓ બહાવરાં બની ગયાં. એમને ખાટલાની ઇસ પર કપાળ કુટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યાં ! આ વિચારે તેમનાથી ડુસકું ભરાઇ ગયું. અમરતકાકીથી દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વીંધી નાખે તેવી અમરતકાકીની ચીસ સંભળાઇ : ‘ધાજો, રે ... ધાજો, મારી મંગુને મારી નાખી રે...’ આ ચીસની સાથે જ અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત વધારે હ્રદયદ્વાવક છે. 


Advertisement
Advertisement