CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પૂરની ઘટના .................. સાથે જોડાયેલી છે.
વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ નીચે મુજબ છે.
1. 9 સપ્ટેમ્બર, 2001ના દિવસે એક આતંકવાદી સંગઠને યૂ.એસ.માં શ્રેણી બદ્ધ આત્મઘાતી હુમલા કર્યાં.
તે દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જૅટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંનાં બે વિમાનોને તેમણે ન્યૂ યોર્ક શહેરના ટ્વીવ ટાવર સાથે અથડાવ્યાં. તેનાથી ટાવરમાં કામ કરતા લગભગ ત્રણ હજાર જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યાં. મકાનો ધરાશયી થવાથી લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘવાયાં. બાકીનાં બે વિમાનો પૈકી એક વિમાનને પૅન્ટાગોન સાથે અથડાવ્યું અને બીજું વિમાન પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ પડ્યું.
2. 13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી સંગઠનના 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો.
લગભગ 45 મિનિટ સુધી તેમણે સંસદના પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યા, પરંતુ સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને જોખમમાં મૂકી આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયાં અને 16 જવાનો ઘાયલ થયા.
3. 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હોટેલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા અંધાધૂંધ ગોળીબારો કર્યાં.
આ આતંકવાદી હુમલામાં 166 જેટલા લોકો અકાળે મોતને ભેટ્યાં અને 137 જેટલા લોકો ઘાયલ થયાં.
4. ડિસેમ્બર, 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની લશ્કરી છાવણીમાં આવેલ આર્મી સ્કુલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલા નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
5. 13-14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન એક આતંકવાદી સંગઠને ફ્રાંસની રાજધાની પૅરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો કર્યા. તેમાં 130 જેટલા માણસો મોતને ભેટ્યા હતા, જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.
6. 24 સપ્ટેમ્બર, 2002ના રોજ 2 આતંકવાદીઓએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમાં 30 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી હતી; જ્યારે 80 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.