CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં લગભગ બે-બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એકસરખું જ રહે છે. આ સમયગાળાને ‘ઋતુ’ કહેવામાં આવે છે.
ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ છે : 1. હેમંત,2. શિશિર, 3. વસંત, 4. ગ્રીષ્મ, 5. વર્ષા અને 6. શરદ.
તે એકબીજાની નજીક હોવાથી પાસપાસેની બે ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી બે-બે ઋતુઓને સાથે લેવામાં આવે, તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાય : 1. શિયાળો , 2. ઉનાળો, 3. ચોમાસું.
ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડું, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે.
ભારત સરકારની દિલ્લી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને ચાર ઋતુઓમાં વર્ગીકૃત કરી છે.
1. શીતઋતુ-શિયાળો-ડિસેમ્બરથી ફેબ્રુઆરી
2. ઉષ્ણઋતુ-ઉનાળો-માર્ચથી મે
3. વર્ષાર્તુ-ચોમાસુ-જુનથી સપ્ટેમ્બર
4. નિવરતન ઋતુ-પાછા ફરતા મોસમી પવનોની ઋતુ-ઑક્ટોબર અને નવેમ્બર
પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.
................... ભારતની મહત્વની ઋતુ છે.