CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય અદાલત
ટુંકનોંધ લખો.
જાપાનની સામ્રાજ્યવાદી નીતિ
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ મુજબ જાપનને તેની ઈચ્છા મુજબના ચીનના પ્રદેશો ન મલ્યાં.
જર્મનીનાં મોટા ભાગના સંસ્થાનો ઈંગ્લૅન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધાં. તેથી જાપાનને અસંતોષ થયો હતો.
ઈ.સ. 1921-1922ની વૉશિંગ્ટન પરિષદમાં ઈંગ્લૅન્ડ અને અમેરિકાના નૌકાદળની કુલ સંખ્યાના માત્ર 35% નું નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી.
જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું.
જાપાનને સખાલિન અને સાઈબીરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનના યુવાનો નાખુશ થયા.
આ સમયે જાપાનમાં ચુંટણી થઈ. તેમાં દેશમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષોને બહુમતિ મળી.
જાપાનના લશ્કરી શાસનને વિસ્તારવાદી નીતિ અપનાવી.
ઈ.સ. 1932માં જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાની ‘મંચુકો’ સરકાર બનાવી.
જાપાને, કોરિયા, મંગોલિયા, શાટુંગ અને ચીનના કેટલાક ભાગો પર કબજો જમાવ્યો.
જાપાને જર્મની અને ઈટાલી સાથેના સંબંધો સુધારી તેમની જેમ સામ્રાજ્યવાદનો વિસ્તાર કર્યો.
ઈ.સ. 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું.
સમ્રાટ મેઈજી પચી ઈ.સ. 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હીરોહીટોએ જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું.
જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.
દ્વિતિય વિશ્વયુદ્ધ પહેલાં જાપાને લગભગ સમગ્ર ચીન પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું.
આમ, જાપાનની સામ્રાજ્યવાદી નીતિએ વિશ્વમાં દ્વિતિય વિશ્વયુદ્ધનો ભય ઉભો કરી દીધો.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ ?
ટુંકનોંધ લખો.
દ્વિતિય વિશ્વયુદ્ધ એક પરિબળ તરીકે લશ્કરવાદ