Chapter Chosen

ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
આમુખનું મહત્વ સમજાવો. 

ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે.

આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે.

કોઈ પણ કાયદો ઘદવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું આર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે.

કાયદો ઘદવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ શાં છે તે સમજવામાં આમુખ દ્વારા મદદ  થાય છે.

કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આમ, આમુખ બંધારણનો અર્ક છે.

બંધારણને એકોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.

આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે.

આમુખ બંધરણનો અંતર્ગત ભાગ નથી. તેને કાયદાનું પીઠબળ પણ નથી. આથી તેની વિગતોના ભંગ બદલ અદાલતોનો આશરો લઈ શકતો નથી. આમ છતા, આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે.


Advertisement
આમુખના નીચેનાઅ ત્રણ અધારસ્તંભોની સંક્ષેપમાં ચર્ચા કરો. 

બંધારણના ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો.

ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો વર્ણવો. 

બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.


Advertisement