CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે.
આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે.
કોઈ પણ કાયદો ઘદવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું આર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે.
કાયદો ઘદવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ શાં છે તે સમજવામાં આમુખ દ્વારા મદદ થાય છે.
કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આમ, આમુખ બંધારણનો અર્ક છે.
બંધારણને એકોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.
આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે.
આમુખ બંધરણનો અંતર્ગત ભાગ નથી. તેને કાયદાનું પીઠબળ પણ નથી. આથી તેની વિગતોના ભંગ બદલ અદાલતોનો આશરો લઈ શકતો નથી. આમ છતા, આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે.
બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.