CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બંધારણમાં સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
તેમાં બંને સરકારોનાં કાર્યો અને સત્તાઓનું સંઘયાદી, રાજ્યયાદી, અણુશક્તિ, નાણું અને બૅન્કિંગ, તારઅને ટપાલ, રેલવે, વીમો જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સુચવેલા વિષયો પર સંઘસરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે.
રાજ્યયાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ-સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રાજ્યના આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્યસરકારો બંને કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર પણ કરી શકે છે.
સંયુક્ત યાદીમાં મુખ્યત્વે સીવાની અને ફોજદારી બાબતો; લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારે સંઘો જેવા 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૂચવેલા વિષયો પર સંઘસરકાર અને રજ્યસરકારો બંને કાયદા ઘડી શકે છે.
આમ, છતાં, કોઈ વિષય પર સંઘ અને રાજ્ય સરકારો કાયદો ઘડે, તો માત્ર સંઘસરકારે ઘડેલો કાયદો જ અમલમાં રહે છે.
જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય, તેમનો સમાવેશ ‘શેષ સત્તા’માં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની સત્તા માત્ર સંઘસરકારને જ આપવામાં આવી છે.
બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.