CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વોચ્ચ અદાલતના અપીલ ક્ષેત્રાધિકારને ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે. 1. બંધારણના અર્થઘટન અંગેની અપીલ, 2. દીવાની દાવાવિષયક અપીલ અને 3. ફોજદારી દાવાવિષયક અપીલ.
બંધારણના અર્થઘટન અંગેની અપીલ : રાજ્યની વડી અદાલતે પોતાના ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલું હોય કે આ કેસક્માં બંધારણની કલમના અર્થઘટનનો મહત્વનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તેમાં ખોટી રીતે ચુકાદો અપાયેલો છે ત્યારે વડી અદાલતના એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે.
કોઈ વખત વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ઉક્ત બાબતમાં બંધારણીય પ્રશ્ન સંકળાયેલો છે તો તે વડી અદલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી આપી શકે છે. અલબત્ત, અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી.
જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.
દીવાની દાવાવિષયક અપીલ : વડી અદાલતે એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે આ દાવામાં કયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સંકલાયેલો છે. તેથી તેનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. આ સંજોગોમાં વડી અદાલતે આપેલા ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
વડી અદાલતના એક લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
ફોજદારી દાવાવિષયક અપીલ : ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનવિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય, તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે.