CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચૂંટણીઓ લોકશાહીની ................ છે.
લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસનપદ્ધતિ છે.
લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે.
લોકમત અનુઅસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુન: સત્તા પર આવે છે.
સરકાર પ્રજાના વિવિધ પ્રશ્નો અંગે, પોતાની નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સાત્તા પર ટકી રહે છે તેમજ તે પુનઃ સત્તા પર આવી શકે છે. એ દ્રષ્ટિએ લોકમતનું મહત્વ અનેક ગણું વધી જાય છે.
જાગ્રત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ, ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતાં રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી.
જાગ્રત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી.
લોકમતના ઘડતરના આ બે મુખ્ય માધ્યમો છે. 1. મુદ્રીત માધ્યમ અને 2. વીજાણુ માધ્યમ
1. મુદ્રીત માધ્યમ : વિવિધ ભાષઓમાં પ્રકશિત થતાં દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો અને માસિકો જેવાં સામાયિકો, વિશિષ્ટ વિષયોનાં સામયિકો વગેરે લોકમત ઘડનારાં મુદ્રીત માધ્યમો છે. આ ઉપરાંત, વિવિધ વિષયોનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે પણ લોકમતનું ઘડતર કરે છે. મુદ્રીત માધ્યમો લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
2. વીજાણુ માધ્યમ : રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સીનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃષ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સમાજિક અને આર્થીક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઉભો કરી શકાય છે.