Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો ?


લાલા લજપતરાયનું અવસાન શાથી થયું ?


ઈ.સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી ?


Advertisement
ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો ? 

જુલાઈ,, 1946ને ચુંટણીઓમાં મુસ્લીમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લીમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી.

બ્રિટિશ સરકાર પર દબાણ ;આવવા મિસ્લિમ લીગે 16 ઑગષ્ટ, 1946નો દિવસ મુસ્લિમોને ‘સીધાં પગલાંદિન’ તરીકે મનાવવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યાં.

આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ સહિત કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે, પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી.

મુસ્લિમ લીગ અને મહંમદ અલી જિન્હા હઠાગ્રહ; 9 ડિસેમ્બર, 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લીમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી, 1947ના રોજ મુસ્લીમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ.

તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજુ કરી. ‘અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે.’ માઉન્ટ બેટનની આ દલીલ જવાહર નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલનો યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજના ચર્ચા કરી.

ગાંધીજીએ નાછૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો.


Advertisement

સાયમન કમિશનમાં કુલ .............. સભ્યો હતા.


Advertisement