ટુંંકનોંધ લખો.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય લઘુમતિઓ માટે અતિમહત્વના છે. આ હકોથી-
ભારતના કોઇ પણ નાગરિકને પોતાનાં ભાષા, બોલી, લિપિ, સંસ્કૃત, પ્રણલીકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેમનો વિકાસ કરવની સ્વતંત્રતા મળી છે.
રાજ્ય દ્વારા સંચાલિત કે રાજ્યની ગ્રાંટ પર નિર્ભર હોય એવી કોઈ પણ શિક્ષણસંસ્થામાં કોઈ પણ નાગરિકને ભાષા, ધર્મ કે સંસ્કૃતિને કારણે પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકતો નથી.
ભારતના કોઈ પણ નાગરિકને પોતાનો વિકાસ સાધવા માટે યોગ્ય લાગે તે કલા, શિક્ષણ અને સાહિત્ય વગેરે સંસ્કારપોષક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા મળી છે.
લઘુમતી કોમો ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિ પોતાની શિક્ષણસંસ્થાઓ સ્થાપી શકે છે. રાજ્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને નાણાકિય સહાય આપવા બંધાયેલ છે.
રાજ્યસરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે.
દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી એ રાજ્યની ફરજ બને છે.