CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વન્ય જીવો આપણા પર્યાવરણનું મહત્વનું અને અવિભાજ્ય અંગ છે. તે પર્યાવરણના રક્ષકો છે, તેથી તે આપણા મિત્રો છે. તેમના કલ્યાણ અને રક્ષણમાં આપણું હિત જળવાયેલું છે.
પરંતુ આજે વન્ય જીવો ઘણી રીતે સંકટમાં છે. એટલે સરકારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
ભારતીય વન્ય જીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે.
આ અધિનિયમ મુજબ દેશમાં વન્ય જીવો માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત, સરકારે જેમના અસ્તિત્વ સામે જોખમ હોય અને જે વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજનાઓ બનાવે છે. આમ, સરકારે વન્ય જીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
અસમમાં .......................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ભારતમાં પક્ષીઓની આશરે ................ પ્રજાતિઓ છે.
ગુજરાતમાં ...................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.