CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હૈદરાબાદ રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું છે. હૈદરાબદના નિઝામે પોતાના રાજ્યને 15 ઑગષ્ટના દિવસે જાહેર કર્યું.
ભારત સરકારે નિઝામને ભારતીય સંઘમાં જોડાઈ જવાની અનેક વખત વિનંતી કરી. ભારત સરકારે તેને સમજાવ્યુંં કે હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.
જોડાણ અંગે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગિલિક કારણ સર પાકિસ્તાન સાથે અને વૈચારિક કારણોસર ભારત સાથે જોડાઈ શકશે નહિ. આથી તેણે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.
સરદાર પટેલે નિઝમને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારાતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્યે પજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે ‘પોલીસ પગલાં’ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ તેને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોની બાયધરી આપવામાં આવી.
હૈદરાબાદના જોડાણની સમગ્ર કાર્યવાહીમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી.
આજે ભારતીય સંઘ માં ................. રાજ્યો છે.
ટુંકનોંધ લખો.
કશ્મીરનો પ્રશ્ન
આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા ?